Posted by pravinash1 under
વિચાર ના વહેણ [3] Comments
પરિસ્થિતિ પડકાર છે
મનઃસ્થિતિ અભિસાત છે
પરિસ્થિતિ પ્રતિપળ બદલાય છે
મનઃસ્થિતિનો પ્રતિદોષ મનમાં છે
પરિસ્થિતિ સુવિધા દુવિધાનો સંગમ છે
મનઃસ્થિતિ મનની અવસ્થા છે
પરિસ્થિતિનું બીજ ભૌતિક છે
મનઃસ્થિતિનું બીજ વાસનામાં છે
પરિસ્થિતિ બાહ્ય આવરણ છે
મનઃસ્થિતિ આંતરિક સંઘર્ષ છે
પરિસ્થિતિ પ્રકટ છે
મનઃસ્થિતિ અપ્રકટ છે
પરિસ્થિતિ હમણા અને અંહી
મનઃસ્થિતિ મનમાં અને મંહી
પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાધના અસાધ્ય
અનૂકુળ મનઃસ્થિતિમાં સાધના સાધ્ય
પરિસ્થિતિ વણે શંકાની જાળ
મનઃસ્થિતિની નિત્ય નવલી ચાલ
પરિસ્થિતિ ભૂલાવે ભાન
મનઃસ્થિતિ વધારે શાન
પરિસ્થિતિનું આરોપણ બહાનું છે
મનઃસ્થિતિ મનનું મધુરું ગાણું છે
પરિસ્થિતિ નિંદ્રા અવસ્થા છે
મનઃસ્થિતિ જાગ્રત અવસ્થા છે
પરિસ્થિતિ ઉલઝન વધારે છે
મનઃસ્થિતિ ઉલઝન સુલઝાવે છે
માનવ પરિસ્થિતિનો ગુલામ છે
મનઃસ્થિતિ મુક્તિનો અહેસાસ છે
સંયમ પરિસ્થિતિની ચાવી છે
મનઃસ્થિતિ મનનો રાજા છે
Posted by pravinash1 under
ચિંતન લેખ 1 Comment

કાનો નહીં
માત્રા નહીં
ર્હ્સ્વ ઇ ની હસ્તિ નહી
દીર્ઘ ઈ દેખાય નહીં
કોઈ ઝંઝટ નહીં
સાવ સરળ
તેના વિના ભોજનમાં નહીં ચમક
=====
હલાલ સાથે હાથ મિલાવે
તો
ગુલાલ ઉડાવે
હરામ સાથે હસે
તો
નિંદર ઉડાડે
છોડું છું નિર્ણય તમારી ઉપર
જાણી ને અણજાણ બનશો તો પડશે ખબર.
વધુ ખાશો તો વધશે લોહીનું દબાણ
ઓછું ખાશો તો આ જિવન બનશે પરમાણ
રસાયણ શાસ્ત્ર તેને કહે સોડિયમ ક્લોરાઈડ
ત્રણ અક્ષર નું બનેલું આ નમક
સમતોલ ઉપયોગ જિવનમાં દમક
Posted by pravinash1 under
વિચાર ના વહેણ [4] Comments

સુંદરતા છુપાઈ આંખોમાં
નિર્દોષતા છુપાઈ બાળકમાં
પાવનતા છુપાઈ વિચારોમાં
ઉત્સુક્તા છુપાઈ ઇંતજારીમાં
ભાવુકતા છુપાઈ હૈયામાં
બાલિશતા છુપાઈ વર્તનમાં
વિશાળતા છુપાઈ અંતરિક્ષમાં
દરિદ્રતા છુપાઈ વાણીમાં
ધનિકતા છુપાઈ અભિગમમાં
લજ્જા છુપાઈ શરમમાં
માર્મિકતા છુપાઈ શબ્દમાં
વાસ્તવિક્તા છુપાઈ દંભમાં
ઉચ્છ્રંખલતા છુપાઈ હાવભાવમાં
કાર્યક્ષમતા છુપાઈ આવડતમાં
સમયસૂચકતા અવઢવમાં
પરિપક્વતા ઉંમરમાં
સમતા છુપાઈ સમઝણમાં
શાંતિ છુપાઈ અંતઃસ્તલમાં
Posted by pravinash1 under
ભજનો 1 Comment

હરિ તારાં છે હજાર નામ, કયે નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
દ્વારિકાનો રાય રણછોડ
કયે ગામે લખવી—-
કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે
કોઈ કહે નંદનોકિશોર
કયે ગામે લખવી—-
ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક
અંતે તો એકનો એક
કયે ગામે લખવી—-
ભક્તો તારા અપર ગણતાં ન આવે પાર
પહોંચે ન પૂરો વિચાર
કયે ગમે લખવી—-
‘નરસિંહ મહેતા’નો સ્વામી શામળીઓ
મીરાનો ગિરીધર ગોપાળ
કયે ગામે લખવી—-
ભક્ત નરસિંહ મહેતા નું સુંદર ભજન
========================
Posted by pravinash1 under
ચાલો રસોડામા [6] Comments

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી
=====================
બનાવવા માટેની સામગ્રી
૧. કપ કઠોળના ચણા
૧. કપ સૂકા વટાણા
૧. કપ લીલા મગ
૧. કપ કઠોળના મઠ
૨. કાંદા ઝીણા સમારેલા
૨. ટામેટા ઝીણા સમારેલા
૧.કાચી કેરી ઝીણી સમારેલી
૧.ઝૂડો કોથમરી બારીક સમારેલી
૪. કપ મીઠું દહીં
ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, બાફેલા બટાટા ઝીણા કાપેલા. આદુ’ લીલા મરચા વાટેલા.હળદર, ધાણાજીરૂ.
બનાવવાની રીત.
બધા કઠોળ અલગ અલગ પલાળવા. અલગ ચડાવવા. (કારણ દરેકને ચડવા માટે અલગ સમય લાગે છે.)બધા કઠૉળ ચડી જાય પછી એક મોટા તપેલા મા ભેગા કરી માપસરનું મીઠું નાખવું. હળદર, ધાણાજીરૂ, આદુ, મરચા નાખી ઉકાળવુ. આમા તેલ નાખવું કે નહી યા વઘાર કરવો કે ન્હી એ તમારી મનસૂબી ઉપર છોડું છું. આજકાલ બધા કેલરી ખૂબ ગણે છે. તેના વગર પણ સ્વાદ સારો—– પિરસતી વખતે. ખૂબ ગરમ ન હોય તેનો ખ્યાલ રાખવો.
એક કચોળામાં પહેલાં’ ચમવમ’ ભરી ઉપર કાંદા’ટામેટા,કેરી, બટાકા, દહીં , ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી(ભાવતી હોય તો)ઝીણી સેવ,દહી નાખીને ખાવું.
ઊનાળામાં આ વાનગી ખૂબ ભાવે, બનાવી રખાય અને તંદુરસ્તી માટે પણ અનૂકુળ છે.
Posted by pravinash1 under
હાસ્ય રસ 1 Comment
આ અમેરીકાની બલિહારી
ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
વફાદારી જેની વખણાતી
વહાલમાં હરદમ પોરસાતી
સત્ય કહીશ નથી ભીતિ
ઘરમા દીઠાં કૂતરા બિલાડી
જીવદયાના તેઓ હિમાયતી
માનવથી ચડિયાતી જાતિ
દીઠી નજરોએ પરોણાગતિ
તેમને ના કહેશો અનાડી
ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
ભોજન તેમના મનભાવન
દ્ર્શ્ય તેમના અતિ સુહાવન
અંગોપાંગ જેના લુભાવન
આ અમેરિકાની બલિહારી
ઘરમા દીઠા કૂતરા બિલાડી
પથારી તેમની ખૂબ સુંવાળી
ખાય પીએને ઘર દે ખરડી
માવજત તેમની રજવાડી
જાનવર છતાં ઠાઠભારી
ઘરમાં દીટાં કૂતરા બિલાડી
આવક જાવકના બે છેડાં
બાર સાંધતા તેર ટૂટતાં
છતાં પ્રેમે સત્કાર પામતા
વાત કરી આજે ભાઈ ન્યારી
ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
Posted by pravinash1 under
કાવ્યો 1 Comment

જોયો તમારો ઠાઠ ને વળી ભળ્યું તેમાં ગુમાન
આવડો ભારે શું લટકો જરા રાખજો ભાન
આતો છે અમારી નજર્યું આપીએ તમને માન
હવે સમજો સાનમાં તેમાં છે તમારી શાન
ઓરા આવો તો મહેકી ઊઠે તમારો ભીનો વાન
ઝલક અને પ્રતિભાનો સંગમ કરીશું અમે પાન
પ્રેમ અને મહોબ્બતનું ગુંજી રહ્યું મધુરું ગાન
દિલથી દિલ મળ્યા તમ પર ન્યોછાવર જાન
Posted by pravinash1 under
હાસ્ય રસ [2] Comments
આગગાડીનિ મુસાફરી ઘણી રોમાંચક હોય છે.
એક વાર ધંધાના કામ અંગે મારે જવાનું થયું જાણી જોઈને
ઉપરનું પાટિયું લીધું હતું તેથી આરામથી સૂવા મળે. ગાડી
ચાલે ત્યારે બંદાને મઝાની ઉંઘ આવે. ખબર હોયને સાથે
સંગીત અને વાજીંત્ર હશે.
અચાનક મારી આંખ ખૂલી કયું સ્ટેશન આવ્યું ખબર ન હતી.
ઉપર સૂતા સૂતા પૂછ્યું, કયું સ્ટેશન આવ્યું. ભાઈ ત્યાંથી જ
ગાડીમાં ચડ્યા હતા. કહે ૧ રૂ. આપો તો કહું.
તરતજ વળતો જવાબ મેં આપ્યો. સમજી ગયો અમદાવાદ
આવ્યું છે.
-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+
એક વખત એક સરદારજી મુંબઈથી લુધિયાના જતા હતા.
તેમને પણ ઉપરનું જ પાટિયું મળ્યું હતું. વાતાનૂકુળ ડબ્બામાં
ઠંડી લાગતી હતી. તેથી ચારેક વાર ઉપર નીચે કરવું પડ્યું.
ઘરે પહોંચીને બીબીજી પાસે ઢીલા ઢસ થઈ ગયા. અરે
ક્યા બાત કરૂં, સારી રાત સો નહીં પાયા. ચાર બાર ઉપર
નીચે કરકે મૈં તો થક ગયા.
બીબીકો બહોત દયા આયી. કહેને લગી, જો નીચે સો
રહાથા ઉસીસે જગહ બદલી ક્યોં નહી કી.
સરદાર બોલે, અરે ક્યા બતાઊ, બીબી નીચે કોઈ મુસાફિર
હી નહી થા. કીસસે મૈં બદલી કરતા?
Posted by pravinash1 under
ટુંકી વાર્તા Leave a Comment

હૈયામાંથી ચીસ નિકળી પણ ગળામાં થી અવાજ
બહાર ન આવ્યો. ટી. વી. ની સામેજ બેઠી હતી.
પાંચ બાળકોની હત્યા કરનાર સ્ત્રી નિર્દોષ છૂટી ગઈ.
કારણ તો કહે કે તેની માનસિક સમતુલા ગુમાવી
બેઠી હતી. સર્વે દલીલોમાં તથ્ય હોય કે પછી -
ઉપજાવી કાઢેલી હોય. પાંચ બાળકોએ જાન ખોયા
તે હકિકત છે. તેનું કારણ તેમની જનેતા. ઠંડે-
કલેજે પાંચ માસૂમ બાળકોને ટબ માં ડૂબાડી ને
ખાટલા પર તૈયાર કરી સૂવડાવ્યા.
અરે આ લખતાં મારી આંગળીઓ કંપે છે. મારું
હ્રદય વલવલે છે. પાંચેય બાળકોને ગર્ભમાં નવ
મહિના ધારણ કરનાર મા જ તેમના મૃત્યુનું કારણ?
જેણે પ્રસુતિની તીવ્ર વેદના ભોગવી હતી. માતા
તરીકે જન્મ પામી માતૃત્વનો આસ્વાદ માણ્યો હતો.
પ્રાણ રેડીને જેમનું સિંચન કર્યું હતું.અંતરમાંથી
નીકળતા લાગણીના સ્રોતમાં જેમને નવડાવ્યા હતા.
તેમને એ મા કેવી રીતે ભરખી ગઈ. તેના મન પર
શેતાને ચડી કેવું અઘોર કૃત્ય કરાવ્યું.
હે, પ્રભુ શું એ માનું રૂંવાડું પણ ફરક્યું નહી હોય?
આપણે પણ જિંદગીમાં ઘણા પાપ આચર્યા છે. પણ
આ તો બસ હદ થઈ ગઈ. જૂદા જૂદા ઝ્નૂનના નેજા
હેઠળ માનવી પાપ કરવા પ્રેરાય છે. ધર્મનું ઝનૂન,
સત્તાનો નશો, પૈસાનું ગુમાન, જુવાનીનું ગાંડપણ
વિ. વિ.
માનસિક બિમારી ગમે તેટલી ભયંકર કેમ ન હોય.
શું બિમારે પોતાને હાની પંહોચાડી? કુંટુબી ને ત્રાસ
આપ્યો? અરે માબાપને પણ વાત ન થાય.માસૂમ
બાળકોજ મળ્યા, જેમની તે જનેતા હતી.
ભલે તે નિર્દોષ પૂરવાર થઈ. તેનો અંતરઆત્મા
તેને ચેન પડવા દેશે? બાકીની જિંદગી કેમ વિતાવશે?
સમાજનું,પોતાનું કે પછી કોઈનું પણ તેમાં શું ભલું
થવાનું. સમાજને માથે શું તે બોજારુપ નથી? ડોકટરો
કે વકીલોએ મહેનતાણું ન લીધું. તેના પ્ર્ત્યે સહાનુભૂતી
દર્શાવી.
આ નશવંત સંસારમાં દરેકને આજે નહીંતો કાલે
જવાનું છે. એ બાળકો આજે હોત તો———?
Posted by pravinash1 under
ભજનો Leave a Comment

જિવનને પામ્યા હે પ્રભુ બસ જિવન જીવતાં શિખવી દે
આ જિવન છે અણમોલ પ્રભુ તેનું મૂલ્ય મને સમજાવી દે
વણમાગ્યે તેં દીધુ ઘણું સંતોષ પ્રભુ પ્રસરાવી દે
મારૂ મારૂ સહુ કોઈ કહે તારુ કહેતા તું શિખવી દે
સૌંદર્ય સઘળે વેર્યું તે માણી શકું તેવી દૃષ્ટિ દે
તારા ઉપકારના ભાર તળે ટકી શકું તેવી શ્રધ્ધા દે
માતા પિતા ના ઋણને હું હૈયે ધરું તેવી હામ તું દે
સંસારમાં સહુને પ્યાર કરું એવું વિશાળ તું હૈયું દે
કર્મ ધર્મ અને ભક્તિથી જિવનનો જામ છલકાવી દે
કાર્ય એવા જગે કરું તારી આંખ થી આંખ મિલાવી દે
માનવ થઈને માનવ બનું એવી મનોહર મતિ તું દે
જ્યારે અંત સમય આવે પ્રભુ ચહેરે સ્મિત રેલાવી દે