અમેરિકામાં માતા યા પિતા રોજ યાદ કરવાની પ્રથા ભલે ન હોય. કિંતુ આપણે
તો જનમ ધર્યો ત્યારથી હિંદુસ્તાની છીએ. ભલે અંહીનું નાગરિકત્વ હોય, મરશું
ત્યાં સુધી હિંદુસ્તાની રહેવાના શ્રાધના દિવસોમાં માતા-પિતા ને યાદ કરી
શ્રધાંજલિ આપવાની અંતરની ઈચ્છા રોકી ન શકી.
પૂ. સસરાજીને તો લગ્ન થયા ત્યારથી જોવા પામી ન હતી તે વસવસો
આખી જીંદગી રહ્યો છે. મારા પિતાજીની હું વચલી દિકરી પણ ખૂબ વહાલી
હતી. તેમની પાસે કોઈ પણ કામ કઢાવવું હોય તો મારી માનું ખાસ વાક્ય
યાદ આવે છે. “જા, તારા બાપા પાસે, એ માત્ર તારું સાંભળશે.” તેમનું
હાસ્ય, આજે પણ નજર સમક્ષ તરવરે છે. જ્યારે બી.એ. પાસ થઈ ત્યારે
મારા કરતાં મારા પિતાજી વધારે ખુશ હતા. બસ આ તેમની પહેચાન.
મારા પતિ ઘરમાં સહુથી નાના. એનો અર્થ તેમની માતાના લાડકા.
જેનું પરિણામ હું પણ તેમની લાડકી. વડિલોની આમન્યા ગળથુથીમાં શીખી
હતી. એ મારી વહાલી માના સંસ્કાર.પૂ.બા એ લગ્ના પછીની સાડાચાર વર્ષમાં
પ્રેમની જે મૂડી આપી છે તે મારા મૃત્યુ સુધી મને ખરચવા ચાલશે.નામ પ્રવિણા,
કિંતુ બા હંમેશા ‘પવિના’ કહે ખૂબ પ્યારુ લાગતું હતું. તેમના આશિર્વાદથી
આજે જીવન હર્યુભર્યુ છે. નાની ઉમરમાં પણ સાસુ-મા ભેદ જણાયો ન હતો.
‘પ્રણામ’.
મારી મમ્મી, ખૂબ વહાલી અને તેનું સુખ ખૂબ પામી. હા, મા સાથે
મતભેદ જરૂર થતાં. કદીયે વહાલના દરિયામાં ઓટ નથી આવી. સંસ્કારની
સાથે સાથે, કાર્ય કુશળતામાં પ્રવિણતા બક્ષનાર એ માને કોટિકોટિ પ્રણામ.
શ્રાધના દિવસોમાં સહુને પ્રણામ, પ્યાર અને મીઠી મીઠી યાદ.—
October 4, 2007
October 5, 2007 at 7:23 am
Good _”Shradhanjali” to parents. Today is my father’s Shradh and I thought of giving “Shradhanjali’ by reciting 15th chapter of Bhagwadgita as many times I could as he loved till lat moment of his life.
October 5, 2007 at 5:19 pm
શ્રધા + અંજલિ