” અસત્યની સ્વાદિષ્ટ ખીચડી કરતાં સત્યનો ખાંડ વગરનો શીરો સારો.”
“બધા દેવોને મસ્કા મારવા કરતા એકની આંગળી ઝાલી ચાલવું સારું.”
“ગુણગ્રાહી વૃત્તિ કેળવો (બીજાના) અવગુણ પ્રત્યે બેદરકાર રહેવું સારુ.”
’સ્વાર્થ’ અને ‘અહંકાર’ માનવીના ચશ્માના નંબર બદલવા જરૂરી.
” બીજાના ગુન્હા ‘શૂક્ષ્મદર્શક યંત્રથી જોવા
અને ખુદના ગુન્હા પર પડદો પાડવો
એ ક્યાં નો ન્યાય?”
‘મા’ પોતાની હોય કે અન્યની
‘મા’ કેવળ ‘મા’ છે તે યાદ રાખવું આવશ્યક છે.
માના પીધેલાં ધાવણમાં
હું ભણી જીવતરનાં પાઠ
ભલે ન પામી હીરાને મોતી
મારી ઉઘાડી અંતરની આંખ
“બધા દેવોને મસ્કા મારવા કરતા એકની આંગળી ઝાલી ચાલવું સારું.”
WAAAHHHHHH.
Good