૨૬ જાન્યુઆરી
January 26, 2008 by pravinash1
આપણા ભારત દેશને પ્રજાસત્તાક થયે આજે ૫૮ વર્ષ પૂરા થયા. ખૂબ જ આનંદની
વાત છે. ભારત દેશની પ્રગતિથી દરેક ભારતિયનુ મસ્તક આજે ગર્વથી ઉંચું છે.
યાદ રહે ભારતની પ્રગતિમાં જેટલો આજના યુગનો ફાળો છે. તેટલોજ યા તો
તેનાથી વધુ ભારતની આઝાદીમાં જાન ગુમવનારનો ફાળો છે. અરે, ત્યાર
પછી પણ થયેલી અનેક લડાઈમાં જાન ગુમાવનાર હર એક શહિદ જવાનનો
ફાળો છે. અને આજે પણ સરહદની રક્ષા કરનાર હરએક સિપાહીની કિંમત
કમ નથી.
આજના ૫૯મા પ્રજાસત્તાક દિવસે દરેકની કુરબાની યાદ કરતા તેમને
નમન. ભારતમાતા હંમેશા ખુશ રહે પ્રગતિને પંથે પ્રયાણ જારી રહે તેવી
ઈશ્વરને પ્રાર્થના. આપણા દેશની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ જ આપણને
ટકાવી રાખશે. ૧૮૩૫, ૨જી ફેબ્રુઆરી એ લોર્ડ મેકલેઝે કહ્યું હતું કે ‘ જો ભારત
પર બ્રિટિશ હકુમતનો ઝંડો ફરકાવવો હશે તો ભારતની જૂની અભ્યાસની,
પધ્ધતિ અને સંસ્કૃતિને તોડી ફોડી નાખી તેની જગ્યાએ અંગેજી ભાષા અને
પરદેશી માલ પ્રત્યે પ્રિતી દાખલ કરવા પડશે. તેમનો આત્મવિશ્વાસ નાબૂદ
કરો. તો જ આપણે ભારત પર રાજ્ય કરી શકીશું.’
હવે , આપણે આજે વિચારવું રહ્યું આપણને શું ખપે.
જયહિંદ જયહિંદ બોલો સાથ
કંડાર્યો છે સમૃધ્ધિનો પાથ
ભારતમાતા કી જય
aapnaa sanskaar ane aapani sanskruti aapani olakha maaTe aapanaa astitva maate agatyano muddo chhe te samajy te maate be proude to be indian..
સારૂ રાખો, કચરો દૂર કરો…હાથ મિલાવી વિશ્વસાથે દોસ્તી કરી બસ આગળા વધો…