March 2008


      ca076hgj.jpg

                                    
        વેદની  ઉક્તિ  પ્રમાણે  બહાર  ફાંફા  મારતો  માનવી  જો  પોતાની  દ્રષ્ટિ

   અંતરમા  ઠેરવે  તો  શાંતિ  અને  આનંદ  બંને  પ્રાપ્ત  કરી  શકશે. આ  મેળવવાના

   ત્રણ  રસ્તા  છે.  શ્રવણ,  મનન  અને  નિદિધ્યાસન. સ્વાર્થવગર  અભ્યાસ દ્વારા

   કરેલું  કોઇ પણ  કાર્ય   સફળતાને  વરે  છે. મારું  અને  મનેની  ભાવના  તેમાં

   આડખીલી  બને  છે. સમગ્ર  વિશ્વ  ‘મારું’ ના  અસાધ્ય રોગથી  પિડાય છે. જેથી

   આસક્તિ  વધે  છે. માયામા  આળોટે  છે.

         ત્યાગીને  ભોગવો  એ વેદનો  સંદેશ  આપણા  બધિર  કાન  પર  અથડાઈને

    પાછો  વળે  છે. આસક્તિએ  સર્વ  દોષોનું  મૂળ  છે. જ્યારે  વાસના અને  ઈચ્છા

   બુધ્ધિના  અગ્નિમાં  બળી પ્રજ્વલિત  થાય  છે. ત્યારે  સાચુ  જ્ઞાન  પ્રાપ્ત  થાય   છે.

  વેદ  શિખવે  છે  પધ્ધતિસરની  જીવન  જીવવાની  કળા. જેના  અભ્યાસથી  ભૌતિક

   સમૃધ્ધિ  પ્રાપ્ત  થાય  છે. મનના  તરંગો  પર  નિયંત્રણ  કરવાની  ક્ષમતા  ધરાવે

   છે. શાશ્વત  શાંતિ  પ્રાપ્ત  થાય  છે. ચિંતામાંથી  ચિત્તને  કેમ  વાળવું  તે  દર્શાવે

   છે.  જીવનમા  શેને  પ્રાધાન્ય  આપવુ  તે  શિખવે  છે. સુખ , શાંતિ  અને  આનંદ

   ભિતર  છે તે  ચિત્ર  સ્પષ્ટ  પણે  આપણી સમક્ષ  રજૂ  કરે  છે. વેદ એ  ઋષિ મુનિઓની

  તપસ્યાનું  ફળ  છે એ યાદ  રહે.

    અનાદિકાળથી  ઋષિઓએ  તપસ્યા  દ્વારા તેનો  ગુઢ  અર્થ  આપણી  સમક્ષ  પેશ

   કર્યો  છે. વેદના  અભાસથી  જીવનમા  સ્ત્યતા, સાત્વિકતા  અને  ઉત્કૃષ્ટતાની  પ્રાપ્તિ

   થાય  છે. મનુષ્યમા  છુપાયેલી  દૈવીશક્તિ પ્રદર્શિત  થાય  છે. સ્વામી  રામતિર્થ કહે

   છે  વેદના  અભ્યાસથી  કુદરતમા  છુપાયેલ  ગુઢ  સંદેશ સંભળાય  છે. જે  ગલીઓમા

   ઝાડપાનમા ,  પવનના  સુસવાટામા  અને  જીવતી  જાગતી  અનેક વ્યક્તિઓ તથા 
 
   પ્રાણીઓના  ધબકારામા  છડી  પુકારતી  સંભળાય  છે.

      વધુ  કાલે—————-   

ca076hgj.jpg                  

                        

                 મિત્રો,  તમારો  ખૂબ  ખૂબ  આભાર. આશા  રાખું કે  તમને  નિરાશ ન  કરું.

   બને  ત્યાં  સુધી  ‘હું ‘ શબ્દનો  પ્રયોગ  અનુકુળ  નથી  લાગતો. હંમેશ  મને

    નરસિંહ  મહેતા  યાદ  આવે છે.
      
        ” હું  કરું  હું  કરું  એ જ અજ્ઞાનતા
              શકટ નો  ભાર  જેમ  શ્વાન  તાણે.”.

   
      યાદ  હશે  હોકાયંત્રની  મદદથી  નાવિક  ભરદરિયામા  સાચી  દિશામાં  નાવ

     હંકારી  જાય  છે. બસ  આ  કામ  વેદના  અભ્યાસથી  સાધ્ય  બને છે. આનંદની

     ભાવના  અને  શાંતિની  શોધ  વેદના અભ્યાસ  દ્વારા  સંતોષાય છે. અંતરાત્માનો

    અવાજ  કદી  જૂઠૉ  નથી  હોતો. અંતરાત્માને  છેતરવા  માનવ  કદી  સફળ  થયો

     નથી. હાથના  કંગનને  આરસીની  શી  જરૂર?  વેદાંત  આ  વાત  ખૂબ  સરળતાથી

     આપણી  સમક્ષ  રજૂ  કરે  છે.

          સૃષ્ટિની  ઉત્તપત્તી  એ ગુઢ  રહસ્ય  છે. ભગવાન,  કુદરત , નિયંતા એ

    માનવીની  માનસિક  કલ્પના  છે. ત  સર્વે  દ્વારા  ઘણા  પ્રશ્નો  અનુત્તર  રહ્યા  છે.

   વેદાંત  વિજ્ઞાનના  માધ્યમ  દ્વારા  પૃથ્વી  અને  મનુષ્યની  ઉત્તપત્તી  વિષેનું  રહસ્ય

    આપણી  સમક્ષ  ખુલ્લું  કરવા  શક્તિમાન  બન્યું  છે. અકળ  કુદરતનું  સામ્રાજ્ય

   તેનીજ  રચેલી  સૃષ્ટિમાં  સમાયેલુ  છે  તે વેદાંત  સિધ્ધ કરી  આપણી  સમક્ષ  રજૂ

    કરે  છે.

       આ  સૃષ્ટિમાં  ખનીજ,  વનસ્પ્તિ,  પ્રાણી  અને  માનવી દરેકનું  સામ્રાજ્ય

   પ્રવર્તે  છે. મનુષ્યનું  બંધારણ એ  દરેકના સમુહથી  બન્યું  છે. જીવન  દરમ્યાન

   માનવી  અવનવા  અનુભવોમાંથી  ગુજરે  છે. સારા  કે  નરસા  એ  દરેક  વ્યક્તિ

    પર  આધારિત  છે. આત્મા  અને  પાર્થિવ  દેહના  સંગથી  માનવ  બને  છે. વેદાંત

    આ  સમન્વયને  સફળ  બનાવવાનો  સાચો  અને  સચોટ  માર્ગ  દર્શાવે  છે. દરેક

   વ્યક્તિ  ભિન્ન  છે. જ્યાં  છે  તે તેના  માટે  શ્રેષ્ઠ  સ્થાન  છે. તેમા  બે  મત  નથી.

  કોઈ  કોઈની  જગ્યા  ન  લઈ  શકે.

         ( હસવાની  રજા  છે.  ઘણી  વ્યક્તિઓ  સામાન્ય રીતે  માનતી હોય  છે કે  મારા

    જેવું  કોઈ  નથી! કિંતુ  યાદ  રાખવું  જરૂરી  છે કે  કુદરત  એક  જેવું  બીજું  બનાવવામા

    માનતી  નથી. બે આંગળી, જોડિયા  બચ્ચા, બે  ફળની  મિઠાશ યે  બે  હાથ  કશું  

    કદી  સરખું  ભાળ્યું  છે?)

         આજ  માટે  આટલું બસ. વિચાર  કરવો  અતિ  આવશ્યક  છે.

    કાલે  મળીશું

   

      

                              ca076hgj.jpg 
              વેદ  આપણા  જ્ઞાનમાં   વૃધ્ધિ  કરે છે. આપણે  કોણ  છીએ  તેનૉ  પ્રતીતિ  કરાવે     છે. તેના  અભ્યાસથી  અંતરમા  શાંતિ  અને  આનંદ  પ્રવર્તે  છે. વેદાંતના  પઠનથી  જીવન  જીવવાની  કળા  પ્રાપ્ત  થાય છે. વેદનો  અભ્યાસ  સફળતા  અને  પ્રગતિને પંથે  પ્રયાણ  કરાવે  છે. એ  બંનેના  સમન્વયથી  આપણી  ભૌતિક  અને  આધ્યાત્મિક  ભૂખ  સંતોષાય  છે. 

      વેદાંતનો  અભ્યાસ  એટલે  પધ્ધતિસર  જીવન  જીવવાનો  સફળ  પ્રયાસ. “હું” કોણ?  એ પ્રશ્નનો  ઉત્તર  વેદાંત આપે  છે. વેદે તેની  છણાવટ કરી  આપણી  સમક્ષ પૂરાવા  સાથે  દર્શાવ્યું  છે. સુખ , શાંતિ  અને  આનંદના  ત્રિવેણી  સંગમમા  વેદ  આપણને  સ્નાન  કરાવી  શુધ્ધ  બનાવે   છે. વેદ  વિચારોને  પ્રેરે  છે. પોતાની જાતનું  પૃથક્કરણ  કરી  તેને  જાણવી  અને શુધ્ધ  કરવામા  વેદનો  અભ્યાસ સહાય

    કરે  છે. વેદા  વૈજ્ઞાનિક  પધ્ધતિથી  આપણને ધર્મ   વિષે  ઉંડુ  જ્ઞાન  આપે  છે. ’વેદ’ની  સાર્થકતા  ખુદ   વેદ  છે. વેદનો  અભ્યાસ  જીવન  જીવવા  માટે  અતિ  આવશ્યક  છે.

      વેદ  અને  શાસ્ત્રનો  ઉંડો  અભ્યાસ  કદાચ  કંટાળા જનક  લાગે.  કિંતુ  વેદનો  સારાંશ  ‘વેદાંત’  સંક્ષિપ્તમાં  ખૂબ  ચીવટથી  આપણને  સમજાવવામા  સફળ થયું  છે. ઝીણવટ પૂર્વકનું  તેનું  અવલોકન  જીવન  જીવવાનો  રાહ  બતાવે  છે.િ ચાર  કરવો, પણ  કઈ  રીતે , કઈ  દિશામા  તે માર્ગદર્શન  વેદાંત  પૂરુ  પાડે  છે. એ એક  કળા છે. પાયા  વગરના  ઉપદેશ  અને  સિધ્ધાંતો  પામેલ  માનવી  દિશા  ભૂલી  જ્યાં  ત્યાં  ગોથા ખાય છે.
     આજે  આટલું  બસ.  તમારા અભિપ્રાય  મોકલશો. 

 હવે પછી કાલે  મળીશું———-
      

     

                                                  images97.jpg

             રોશનબાનુ  ખૂબ  નસિબદાર  હતા કે  તેમને  ઝરીના  જેવી  સોજ્જી  વહુ મળી  હતી.  અદી તેમનો એકનો એક દિકરો  તેથી  રોશનબાનુ અને  ફારુખ દિકરા વહુની  સાથે  રહેતા. ઝરીના બને સમયની  રસોઈ  બનાવી ને તેમને જમાડતી પણ  સવારના ચહાપાણી  રોશનબાનુ અને ફારુખ પોતાની  મનપસંદનો ખાતા. તેમને  સરસ મઝાની  ગાડી  પણ હતી. બને જણા સાથે  કસરત કરવા જતા.  દર બુધવારે  બ્રીજ  રમવા  જતા.  કોલોરાડોમા  રહેતા અને ઝરીના મારી  કોલેજના  સમયની બહેનપણી હતી. અમે સહકુટુંબ સ્કી કરવા જઈએ ત્યારે  ભલે સ્કી રિસોર્ટમા  રહીએ પણ એક સાંજ  કાયમ સાથે ગુજારીએ એવો એક  ધારો પડી ગયો હતો.  

         જો કદાચ ઝરીના મુંબઈ  ગઈ હોય કે છોકરાઓને  મળવા તેમની કોલેજ પર તો રોશન આંટી  અમારી  ખૂબ સરભરા  કરતા. જરાયે  પારકુ  લાગવા દેતા નહી. અરે ઝરીન નથી તો શું? હું તો છું ને. તેમનું  ધાનશાક અમને સહુને ખૂબ  ભાવતું. ૩૦ વર્ષના  અમેરિકાના વસવાટ  દરમ્યાન પાંચેક વાર આ લહાવો અમને સહુને મળ્યો હતો. પારસીઓનું ગુજરાતી એવું મીઠું લાગે કે વાત ન પૂછો. ગયે વર્ષે જ્યારે રોશનઆંટીને લકવો થયો સાંભળ્યું , ત્યારે મને બહુ દુખ થયુ હતું. જ્યારે પણ ઝરીના સાથે  વાત થાય ત્યાર્રે હું આંટીના સમાચાર પૂછું.
હવે તો બાળકો મોટા થઈ ગયા તેથી સ્કી કરવા આવવાનું બંધ જેવું જ થઈ ગયું. રોશન અને અદીને જોડિયા બચ્ચા હતા. આ વર્ષે બંને સાથે ડોક્ટર થયા તેની મોટી પાર્ટી હતી. હું અને રોશન કોલેજ સમયની સખી હતા. પાર્ટી પતી ગઈ. ખૂબ જલસો કર્યો. રોશન આંટી અને ફારૂખ અંકલ જણાયા નહી તેથી એકાંતમાં મે ઝરીનને પૂછ્યું  અંકલ આંટી કેમ ના જણાયા. ઝરીનની  આંખને ખૂણે મેં તગતગતા આંસુ જોયા. તે કાંઈ બોલી  શકી  નહી. મને  કહે સવારે વાત.

અદી માબાપનો એકનો એક દિકરો હતો. તેમાંય  પાછો  ડોક્ટર. રોશનબાનુ અને ફારૂખ પોતાને ખૂબ  ભાગ્યશાળી  સમજતા. બાકી  અમેરિકામા કોણ સાસુ સસરાને  સાથે   રાખી  તેમનો ખ્યાલ  કરે? અરે, ઝરીના મેઈડ આવે તો કહેશે જા  પહેલા મમાનો રૂમ  સાફ  કરી  આવ. તેમના  કપડા ને બધુ સરખુ કરી
ઘરનું  કામ  કરજે.

જ્યારે રોશનબાનુ અને ફારુખ ને નર્સિંગહોમમા  મૂક્યા ત્યારે બધા ખૂબજ વ્યથિત હતા.પણ સંજોગો એવા હતા કે તેમની  સારવાર ઘરમા ખૂબજ મુશ્કેલ હતી. એક દિવસ એવો ન જતો કે  ઝરીના અને અદી તેમને મળવા ન ગયા હોય. અદી તો તેમને જરા પણ આનાકાની વગર મલી  આવતો. થાક શબ્દ તેણે
શબ્દકોષમાં થી  છેંકી નાખ્યો હતો.

  આ વખતે એના બાળકોની પાર્ટીમા આવવાનું થયું. પહેલી વાર ન આંટી મળ્યા ન અંકલ. ઘર આમ ખાલી હતું , પણ મહેમાનોથી ઉભરાતું હતું. મહેમાનૉ ગયા પછી અંકલ અને આંટીને મળવા જવું એમ મનમા વિચાર્યું હતું. જેની મનોમન નોંધ ઝરીને લીધી હતી.   

 સવારે બાળકોને એરપોર્ટ પર ઉતારી મને કહે ચાલ તને મમા અને પાપાને મળવા લઈ જાંઉ. તેમના માટે ભાવતું ખાવાનું સવારે વહેલા ઉઠીને ઝરીને બનાવી ટિફિન ગાડીમા મૂકી દીધું હતું. ગાડી નર્સિંગ હોમ પાસે આવીને ઉભી રહી. મને તો બોલવાના હોશકોશ ન હતા. ચાવી દીધેલ પૂતળાની  માફક ઝરીનની પાછળ પાછળ ચાલતી હતી. અંકલ અને આંટીના રૂમમા આવી તેમની હાલત જોઈને હું બે ડગલાં પાછળ હટી ગઈ. ઝરીન પ્યારથી તેમની  બાજુમા બેઠી બરડાપર હાથ પસવારીને તેમના સમાચાર પૂછી રહી અને ગઈકાલનો પાર્ટીનો અહેવાલ આપી રહી. પાર્ટી પહેલા બંને બાળકો આશિર્વાદ લેવા આવ્યા હતા.

મને જોઈને તેમના  મોઢા પર ચમક આવી ઉઠી પણ હું મનોમન વિચારી  રહી  જીંદગી  તારા————-    
    
   

              નાનપણમા  હું  અને મારો  ભાઈ  ખૂબ ઝઘડતા. અમને
    બંનેને  ઉંદર બિલાડી  જેવો  પ્રેમ  એમ  મારી  મમ્મી  કહેતી.

   કિંતુ  મારો ભાઈ  મને  જાડી  કહે તે સામે મને ખૂબ  વાંધો રહેતો. જોકે
   મોટા થયા  અને પરણ્યા પછી તે  ખૂબ  વહાલું  લાગતું.

      એકવાર  મિજબાનીમા  ગયા  હતા.  હું તેનાથી  દૂર  હતી. તેણે મને
   કોઈ  ન સાંભળે  તેમ જાડી  કહીને  બોલાવી.
 
            ત્રણ જણાએ  તેની  સામે  જોયું.————  

                    હિમાછાદીત  શિખરો  શું  જાણે હોળીના  રંગ  ગુલાલ

                   હોળી  તો   વ્રજવાસી   ખેલે   ખેલે   નંદનો  લાલ

                                      હોળી  આવી  રે

            નંદનો  લાલ નટખટ ન  જાણે  બર્ફીલા  રંગ  ઢંગ

             રંગબેરંગી  રંગો  ઉડાડે  ખેલે  વ્રજની   નાર

                                       હોળી  આવી  રે

              સૂર્યોદય  થાયને  કિરણો  પિગળાવે  બરફના  ઢંગ

              અબીલ ગુલાલ ને  ભરી  પિચકારી  ભિંજવે  અંગ  અંગ

                                              હોળી  આવી  રે

               મેઘધનુને  મિલાવી   ભાળો  શ્વેત   શુભ્ર   રંગ

               જીવનમાં રંગોની  મેળવણી  ઉભરે  નિત્ય  ઉમંગ

                                              હોળી  આવી  રે

               

            હિમાલયની   ગોદ  જેવા  ” સોલ્ટલેકી સીટી”  ને

                 જોઈ   હોળી  સાથે  હિમની  મિલાવટ

                             can5e0jy.jpg

  જે છે પણ નરી આંખે તે દૃશ્યમાન નથી

જેની ગેરહાજરી વરતાય ત્યારે આ પાર્થિવ દેહની કશી કિંમત નથી.

જેનું અસ્તિત્વ અચલ છે.

 જે શાશ્વત છે.

જે શાંતિ પૂર્ણ છે.                                                                   

 જે પવિત્ર છે.

જે અભય છે.

જેને પવન ઉડાડી નથી શકતો.

જેને અગ્નિ બાળી નથી શકતો.

જેને પાણી પલાળી નથી શકતું.

જે આશ્ર્ચર્યથી ભરપૂર છે.

જેનો તાગ ભલભલા મુનિઓ નથી પામી શક્યા.                  

જેને કળવું અશક્ય છે.

૪૨  વર્ષનો  અર્ક  આપની  સમક્ષ  રજૂ કર્યો
     
ત્યાં તો  વિચાર  સ્ફૂર્યો, ચાલ  મન  જીવનનું  સરવૈયુ  કાઢું.

                                     સરવાળા             સદવર્તનના
 
                                    બાદબાકી               ભૂલોની

                                    ગુણાકાર                  પ્રેમનો

                                    ભાગાકાર                ઈર્ષ્યા        વેરઝેરનો

                            આ   જીંદગીની  કિતાબનું  સરવૈયુ  કાઢજો

                          સરવાળાને  બાદબાકી  યોગ્ય  સ્થળે  માડજો

                         ગુણાકારને   ભાગાકાર  દ્વારા  સુલઝાવજો
                        

                            બાળપણની  પ્રીતડીને  યુવાનીનું  ગાડપણ

                         પ્રૌઢાવસ્થામા  તેનું  લાવજો  નિરાકરણ

                                                                 આ જીંદગી—-
                                                                સરવાળા—-
                                                              ગુણાકાર———

                         કર્યા કર્મો  પસ્તાવાને  ઝરણે  વહાવજો

                          નિતીમય  કાર્ય  દ્વારા  જીવન  દીપાવજો

                                                               આ  જીંદગી——- -
                                                              સરવાળા——-
                                                              ગુણાકાર———-

                                કર્યું  કશું  છૂપતું  નથી ચિત્રગુપ્તને  ચોપડે
    
                              માંહ્યલો  સદાયે  મુંગો  રહી  સાક્ષી  ભરે

                                                      આ  જીંદગી——–
                                                       સરવાળા——–
                                                      ગુણાકાર——–

                                  આવાગમન  જીંદગીનો  અસ્ખલિત  પ્રવાહ  છે

                                 જીંદગીની  ભવ્યતામાં  મૃત્યુ  ચીરવિદાય   છે
   
                                                                          આ  જીંદગી——–
                                                                          સરવાળા——
                                                                          ગુણાકાર——-  

     જે   આદરના  અધિકારી  છે.                                                     માતા પિતા

       જેને  આદરની  પરવા  નથી.                                                કૂતરા- બિલાડા
 
       જે  હરપળે  વિંધાય  છે.                                                         હ્રદય

       જેને  વિંધવું  શક્ય  નથી.                                                      શબ

       જે  આવે  છે  તે જવા  માટે.                                                 યુવાની

       જે  આવે  છે  આહિસ્તા  આહિસ્તા.                                       ઘડપણ

       જે  શરીરનું  આભૂષણ  છે.                                                    મૌન

        જે  ઘણીવાર   વ્યર્થ  છે.                                                       વાણી

        જેના  પર સંયમ  આવશ્યક  છે.                                           જીભ

        જે  સ્વતંત્ર અને  દૃઢ  છે.                                                     સદવિચાર

        જે  કાપવા  જેવું છે  તે  વધારે  છે.                                        નખ

        જે  વધારવું  જોઈએ તે  કાપે  છે.                                           વાળ

        જે  સહુથી  ઊંચી  છે.                                                             પ્રેમ સગાઈ

        જે  જગમાં  નીંદનીય  છે.                                                       તિરસ્કાર

         જે  કાજલ  કરતાં  કાળું  છે.                                                    કલંક

         જે  પાણી  કરતાં  પતળું  છે.                                                   જ્ઞાન

        જે  શસ્ત્ર  કરતાં  પણ  કાતિલ  છે.                                           કટુવાણી

        જે   મલમ  કરતાં  મુલાયમ  છે.                                            મધુર  શબ્દ

         જે  ભૂમીથી  ભારી  છે.                                                           ક્રોધ

          જે  સહુને  આકર્ષે  છે.                                                           સ્મિત

         જે  કરવાથી  બંને  પક્ષ પાપના ભાગીદાર છે.                      નિંદા

         જે  બંને  પક્ષ  માટે  લાભદાયી  છે.                                      પ્રશંશા

          જેના  વડે  હાથ  શોભે  છે.                                                  દાન

          જે  હરહંમેશ  આવકાર્ય  છે.                                                 પ્રેમ

          જેની  પ્રેમ  નિતરતી  આંખો  છે,                                          માતા

          જે  મૌન દ્વારા  પ્રેમ રેલાવે  છે.                                           પિતા

           જે  નિરંતર   સ્મરણીય  છે.                                               પ્રભુનામ

          જે  હંમેશ  કરવો  આવશ્યક  છે.                                         સત્સંગ

      

           “૪૨”  વર્ષોનો  અર્ક .

   We  should  remember       A  is  First  letter  of  ALPHABET

                      But

         From  One to Ninety Nine  Numbers ,  A  is  Missing

                   A  is  insulted  very  badly  but  A  is  very  humble.

                 It  cried  a  lot.

                  A’s  eyes  were  red.

                  still   it was  hAppy

                    very  peAceful

                     was  dAncing

                       And

                            thAnk  GOD. 

                       

                   

                   

                 

Next Page »