કૃષ્ણ ભગવાનની કૃપાથી ભારત દર વર્ષે આવવાનું ‘વ્યાજબી બહાનું’ સાંપડે છે.
ગોકુળ યા શ્રીનાથદ્વારા જવાનું મન થાય !
એ પ્રાર્થના પણ ફળે છે.
જુઓ શ્રીજીને મળવા જઈ રહી છું.
માનું છું તે હ્રદયમાં છે, સાથે છે, સર્વત્ર છે છતાં પણ આ જીવ માનતો નથી !
****************************************************************************************************************
હું આવી છું દોડીને મળવા તુજને
કૃપા કરીને શ્રીજી આજે અપનાવી લે તું મુજને
**
તારા દર્શને પ્યાસું હૈયું મારું તૃપ્ત થયું
અપનાવી લે દાસને આજે જીવન મારું સફળ થયું
**
તારું સુમિરન હરદમ આ દિલમાં વસ્યું
શરણે આવી મોહ, માયાને આસક્તિ વિસરી ગયું
**
વણમાગે તેં દીધું ઘણું એ કેમ કરી વિસરી શકું
તારા દીધેલ આ જીવનને સતકર્મે સાર્થક કરું
**
તારો ઝાલ્યો પ્રેમે હાથ, સુનહરો સાથ પામું
માર્ગ ચીંધી ઈશારો કરજે આંખ મીંચી ચાલી આવું
**********************************************************
બહુ સરસ. મને ગમ્યું.
હરનિશ જાની