સાંભળે છે ?

આમ વાતે વાતે ગુસ્સો કેમ આવે છે ? શું બધા મારું સાંભળે અથવા માને એ શક્ય છે ?

ઉત્તર છે, “ના”. 

તો પછી શાને આગ્રહ રાખે છે ?

“ગુસ્સો’ એ ભ ભયાનક છે. સાચા ખોટાનું ભાન ગુમાવી બેસે છે. 

માની લેને સામેવાળી વ્યક્તિ સાચી છે ! 

‘તારા બાપનુ 

“અરે, પણ એવું તો શું આભ ટૂટી પડ્યું કે તું હવે મારી સાથે નહી બોલે” !

 માનવના દિમાગમાં ‘ગુસ્સો’ ખૂબ ખતરનાક છે. જ્યારે માનવી તેનો શિકાર બને છે ત્યારે કિનારા તોડેલી નદીની જેમ બેફામ વર્તે છે. ‘

ગુસ્સો આવે એ સ્વભાવિક ક્રિયા છે !

તેનો અંજામ પણ ભોગવવો પડે છે !

એટલું કહીશ ‘ગુસ્સો આવ્યો એનું કારણ શાંતિ પૂર્વક શોધવું’. 

હા, મારી વાત ન ગમી પણ તેનો આટલો બધો, ગુસ્સો —– !

વર્ષોના સંબંધ પર પાણી ફેરવી નાખ્યું.

‘બધી વાત ગમે એવું કોઈ ગણિત ખરું’?

અરે, ભલા ભાઈ ન ગમતી વાત હતી તો જબાન બંધ રાખવાની, માત્ર કહી દેવાનું, ‘મને આ વાત પસંદ નથી’!

સામેવાળી વ્યક્તિની ઈજ્જત ધુળધાણી કરી એલફેલ બોલવું એ શું શોભાસ્પદ છે’?

ક્યાં ગઈ તમારી પંડિતાઈ?

ક્યાં ગયો શિષ્ટાચાર?

ઉમરનો કોઈ મલાજો ખરો કે નહી’?

ગુસ્સા પર કાબૂ રાખવો આવશ્યક છે !

આમાં નુકશાન માત્ર તને જ નહી, પણ તારા સંપર્કમાં આવેલાં સહુ તેનો ભોગ બને છે. 

‘તું સાંભળે છે’ ?

જરા શાંતીથી વિચાર કરી જો !

ધરતીમાંથી ફાટેલો દાવાનળ શાંત થાય પછી  ફળદ્રૂપ જમીનમાં પરિવર્તન પામે છે, 

તેમ ક્રોધ જ્યારે વિદાય થાય છે, ત્યારે શાંત મનમાં સુમ્દર વિચારોનું પ્રાગટ્ય થાય છે. 

અરે એણે તારું અપમાન કર્યું. તારો વિશ્વાસ ભંગ કર્યો! શું તેને દુઃખ નહી થયું હોય ?

આગ બંને બાજુ બરાબર લાગી છે !

વાંક કદી એક જણનો નથી હો તો ?

એ સંજોગમાં તું હોત તો તારું વર્તન કેવું હોત ?

હંમેશા દર્પણમાં મુખ જોવું . 

દર્પણ ક્યારે પણ ખોટું નહી બોલે !

દર વખતે “બીજી; વ્યક્તિની ભૂલ હોય તે શક્ય નથી !

ભૂલી ગઈ, ‘ભૂલ તો ભગવાનથી પણ થાય”. 

ભૂલ ભુલશું નહી તો નુક્શાન આપણને જ છે, એમાં બે મત નથી!

ખેર, ચાલો રાત ગઈ બાત ગઈ.

One thought on “સાંભળે છે ?

Leave a comment