કળી જેવી એ સુંદર બાલિકા

   પળભરમાં રોળાઈ ગઈ

મધુરી મુસકાન હોઠે બાલિકા

  ક્ષણભરમાં વિલાઈ ગઈ

વાંક શું હતો કુમળી બાલિકા

  ટુકડાઓમાં વહેંચાઈ ગઈ

માની મમતા, રડતી આંખો બાલિકા

  હૈયાને હચમચાવી ગઈ

પાશવી કૃત્યનું આચરણ બાલિકા

   મોતને શરમાવી ગઈ

  છેલ્લા ચાર દિવસથી ટીવી પર આવતા ‘સમર”

વીષેના સમાચાર જોતાં પેન આ  વ્યથા લખવાને

મજબૂર બની.

યોગ સધના-૩

સૂત્રઃ ૬       પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ

                    प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः

                   પાંચ જાતના વિચાર ના તરંગ છે, સાચું જ્ઞાન,

                  ખોટું જ્ઞાન,(જડતા) વિકલ્પ, નિદ્રા અને યાદદાસ્ત.

                    વિચાર પોતે દુખદાયક આ સુખદાયક હોવા કરતા

                    તે જે સાથે તાણી લાવે છે તે હાની કરતા હોય છે. જેવું

                    કે અજ્ઞાન, બંધન યા તો બૂરી આદત.   

સૂત્રઃ ૭        પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાનિ

                   प्रत्यक्षानुमानागमाः प्रमाणानि.

                 જે સાચું જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા

                 મળે છે. ઓ તેમાં કોઈ ભેળસેળ યા

               પૂર્વાગ્રહ ન ભળ્યા હોય તો. દાઃતઃ આપણા

                વેદ, ઊપનિષદ, ગીતા, રામાયણ વિ. વિ.

સૂત્રઃ ૮     વિપર્યયો મિથ્યાજ્ઞાનમતદ્રૂપપ્રતિષ્ઠમ

                 विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम

                    જ્યારે ખોટા જ્ઞાનના પાયામાં વસ્તુ

                 પ્રત્યેનો અભિગમ તથા સ્વભાવ કારણ-

                 ભૂત  હોયછે. દાઃતઃ અંધારામાં દોરડાને

                સાપ માનવો.

સૂત્રઃ ૯  શબ્દજ્ઞાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પઃ

              शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः

             જ્યારે શબ્દ સ્થળ અને પ્રસંગ અનુચિત

            ન હોવાસર વિકલ્પ પેદા થાય છે.

            ઘણી વખત કહેનારના કહેવાનો અર્થ

           સાંભળનાર પોતાની રીતે ઘટાવે છે. 

           ત્યારે વિકલ્પ ઉત્પન્ન થવાનો ભય રહેલો

             હોય છે.

સૂત્રઃ ૧૦  અભાવ પ્રતિયયાલમ્બના વૃત્તિર્નિદ્રા

               अभाव-प्रत्ययालम्बना वृत्तिर्निद्रा

               નિદ્રા એ તો શૂન્યતા પૂર્ણ વિચારોની

              હારમાળા છે. સ્વપ્ન વિનાની નિદ્રા

            એ મનનો સુંદર અભિગમ છે. તેને

           યોગની પરિસ્થિતિ સાથે ન સરખાવી

           શકાય.

યોગ સાધનાની શરૂઆત સાથે આપણે સમજીશું યોગ વિષે જરા બારીકાઈથી.

આપણા ઋષિ પતાંજલી શેષનાગનો અવતાર માનવામાં આવે છે.  તેમણે

 ૪૦૦૦ વર્ષ પૂર્વે “યોગ સૂત્રો”  આપણને આપ્યા. ‘યોગ’ આપણે ત્યાં આદિ અને

સનાતન કાળથી ચાલ્યો આવે છે. વેદ, ઉપનિષદ સર્વેમાં તેનું ઉચ્ચ સ્થાન છે.

‘યોગી’  શબ્દ કોઈ પણ ભારતિયથી અજાણ્યો નહી હોય. આજ કાલ પશ્ચિમમા

તેનો વાયરો વાયો છે. તેમણે બધા સૂત્રો એકત્રીત કરી ચાર ભાગમાં વહેંચી

દીધા.

                   સમાધિ પાદ (૫૧ સૂત્ર),  સાધના પાદ (૫૫ સૂત્ર),  વિભૂતિ પાદ

(૫૬ સૂત્ર)  અને  કૈવલ્ય પાદ (૩૩ સૂત્ર).  કુલ મળીને   ૧૯૫ સૂત્ર તારવ્યા.

        સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ‘દોરો’. જે ખૂબ નાજુક છે કિંતુ એક બીજાને

સાંકળવાનું કાર્ય અતિ સહેલાઈથી કરે છે. મોતી ને જો દોરોમાં પરોવીએ

તો સુંદર માળા તૈયાર થાય. તે પ્રમાણે માત્ર થોડા કિંતુ સરળ શબ્દોથી

‘સૂત્ર’  તૈયાર થાય અને ગુઢ વાત સમજાવી જાય.

      योग किसे कहते है

युज्यते अनेन इति योगः

જે જોડે છે તેને યોગ કહેવાય છે.

આત્માને પમાત્મા સાથે, શરીરને મન સાથે, વિ.

શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે

 योगः कर्मषु कौशलम

કાર્યમા પવીણતા અને ચોકસાઈ તે યોગ કહેવાય.

योगः समत्वम उच्यते

યોગી સમતા પૂર્વક બોલે છે.

ઋષિ વશિષ્ઠ કહે છેઃ

मनः प्रशमनोपायः योग इत्याभिधीयते

યોગ એ સુંદર કળા છે જેનાથી મન પર અંકુશ આવે છે.

સ્વામિ વિવેકાનંદના મત અનુસારઃ

  “દરેક આત્મામા પવિત્ર શક્તિ છે. તેનો સાક્ષાત્કાર કરવા માટે આંતરીક અને

બાહ્ય પ્રયત્નો કરવા જોઇએ. તે કાર્ય, ભક્તિ, આધ્યાત્મિક યા માનસિક પ્રયત્નથી

સફળ થાય છે.”

શ્રી અરવિંદ કહે છેઃ

સંપૂર્ણતા પ્રાપ્ત કરવા કાર્યરત રહેવાની શક્તિ  દરેક વ્યકિત્માં ઈશ્વર દત્ત છે.

યોગ નું મૂળ સાંખ્ય ફિલસૂફીમાં છે. તે ઘણી બધી દિશા સાંકળી લે છે. જેમે કે

શારિરીક આસન, શ્વાછોશ્વાસ, ધ્યાન, શુધ્ધીકરણ, આધ્યાત્મિક તથા ભક્તિ વિ. વિ.

જેનાથી માનવી સ્વાસ્થ્ય અને સમતા પામવા શક્તિમાન બને છે

   ‘યોગ’, ૨૧મી સદીનો જો સહુથી પ્રચલિત શબ્દ હોય તો તે યોગ છે. 

આજે પૂર્વમા જુવો કે પશ્ચિમમા, નાના યા મોટા, જુવાન કે આધેડ દરેકને

મુખેથી આ શબ્દ સાંભળવા મળશે. 

    આપણા ભારતની ૠષિ પરંપરાથી ચાલી આવતી આ યોગની વિદ્યા

ઘણી પ્રાચીન છે. આપણા મહાન ઋષિ પતાંજલીએ તેને એકત્ર કરીને

સુંદર રીતે વિવરણ કર્યું છે. યોગનું અધ્યયન માનવને ઉચ્ચસ્તર

પ્રાપ્ત કરવામા સહાય ભૂત થાય છે. કઠ ઉપનિષદ, શ્વેતાસ્વતર 

ઉપનિષદ,તૈત્રિય અને મૈત્રિયાની ઉપનિષદમા પણ યોગનું સુંદર

 આલેખન છે. યોગ એ આપણા પ્રાચીન ભારતનો વૈભવ છે. ઋષિ

પતાંજલીએ તેને સુંદર રીતે પ્રસ્તુત કરી માનવ જાતને અર્પણ કર્યું.

  તેનો ચોકકસ સમય કહેવો મુશકેલ છે.

ચાલો ત્યારે યોગ વિશેના તેમના સૂત્રો વિશે જાણીએ. તૈયાર થઈ જાવ.

 સૂત્રઃ  ૧. અથ યોગાનુશાશનમ.

              યોગનો અર્થ થાય છે ‘જોડવું’.

  અર્થઃ હવે યોગની રીતની શરૂઆત.

સૂત્રઃ ૨.  યોગ ચિત્ત વૃત્તિ  નિરોધઃ

  અર્થઃ     યોગથી મગજમાં ચાલતા વિચારો પર

                નિયંત્રણ આવે છે.

 સૂત્રઃ ૩.  તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ.

  અર્થઃ      ત્યારે માનવને પોતાના અસલ

                  સ્વરૂપનું ભાન થાય છે.

 સુત્રઃ ૪.   વૃત્તિ સારૂપ્ય ઇતરત્ર.

  અર્થઃ      જ્યારે તે યોગમાં આરૂઢ નથી હોતો

                 ત્યારે તે વિચારોમાં મશ્ગુલ હોય છે.

 સૂત્રઃ ૫.   વૃત્તય પંચતય્યઃ ક્લિષ્ટ અક્લિષ્ટઃ

  અર્થઃ       પાંચ જાતના વિચાર મનમાં ચાલતા

                 હોય  છે. કોઈક દુઃખ પહોંચાડે છે, કોઈ

                  દુઃખ પહોંચાડતા નથી

ઢુંઢુ તને બહાર ને ભીતર

પામું તને સમક્ષ ને અંદર

નવી મંઝિલ નવી યાત્રા

નથી સાથી નથી તારા

લાગણીની હોડીના હલેસા ધબકાર

પામીશ કિનારો ? જીવન ભંગાર

ગાઢ જંગલ છે ને હરિયાળી લહેરાય છે

જીવન મંગલ છે ને સુગંધ  ફેલાય  છે

    રાધા એ ચાહ્યો મીરા એ ચાહ્યો
             હુઁ પણ ચાહુઁ ગિરધારી
             મુજને તારી લગની લાગી
     રાધાનો કિશન મીરાનો ગિરીધર
                    હુઁ જાણુઁ અવિનાશી
              મુજને તારી લગની લાગી
      સુમિરન તારુઁ હરપળ કરતી
       જગની માયાથી અલિપ્ત રહેતી
              મુજને તારી લગની લાગી
        રાધે રાધે કિશન કિશન
         મીરા મીરા ગિરધારી
          મુજને તારી લગની લાગી
          જીવન છે નદીયાની ધારા 
          સાગરને મળી તેમા સમાવવા
          હરદમ રહે અભિલાષી
           મુજને તારી લગની લાગી

 જો યમરાજા રજા ઉપર ઉતરે કે નોકરી પરથી ફારગતી આપે તો સ્વર્ગલોકનું તો જે

થવાનું હોય તે થાય. પણ પૃથ્વી પર હાહાકાર થઈ જાય. હા, કુમળી વયે કે ભર જુવાનીમા

થતા મોત અટકી જાય. પણ મરવાને વાંકે જીવતાની જીવાદોરી લંબાય, ઘરડાં, બિમાર,

અપંગ, નિરાધાર લોકોની પરેશાનીનો અંદાઝ કળવો મુશ્કેલ થઈ જાય.

               ઈશ્વરના કારખાનામાં જનમ તો નિશ્ચિત સમયે થયા જ કરવાના. મોતનું પણ

સમય પત્રક ભગવાનના રાજ્યમાં તૈયાર જ હોય છે. જો તેનો નિયમ ટૂટે યા અનિયમિત

બની જાય તો આ ધરતી ભાર સહી શકે ખરી?  યમરાજા તમે બધું કરજો પણ રજા પર ઉતરી

કાશ્મીર કે નૈનીતાલ ન જશો.  માંદગીનું બહાનું  કાઢી લાંબી રજા પર ઉતરી ઘરે પથારીમાં

પડખાં ન ઘસશો.   

       હા, ૨૧મી સદીમા તમને તમારું વાહન જો જરી પુરાણું લાગતું હોય તો તમારે માટે લેક્સસ,

મર્સીડીઝ કે બીએમડબલ્યુ નોંધાવી લઈએ. હા, તે ગાડીઓ મોંઘી ઘણી છે. પણ ચીંતા નહી

કરતાં. ઘણા કરોડો પતી હમણા તમારે ત્યાં મહેમાન થયા છે. વળી તેમને પાછળ ધરાર નહી

અને આગળ ઉલાળ નહી તેવી પરિસ્થિતી છે. તેમના ખાતાના પૈસા સ્વર્ગમાં જમા કરાવી દઈશું

            હા, તો હવે છેલ્લી વિનંતિ સાંભળી લો. નાના નાના કુમળા બળકો પર રહેમ કરજો.

નવ પરણીતા અને જુવાનીથી થનગનતાના આવવા પર પ્રતિબંધ મૂકજો. ઘરડાં કે જે મરવાને

વાંકે જીવતા હોય, જેઓને જીવનમાં રસ ન હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય તેમની વિનંતીને

માન આપજો. બસ ત્યારે વધું શું કહું. સમજુ કો ઈશારા———–

         અરે હજુ તમને આ કહું છું ત્યાંજ સમાચાર મળ્યાકે શાંતિભાઈનો જુવાન દિકરો અમેરિકાથી

આવતો હતો ત્યાં વિમાનમાં આતંકવાદીઓએ બોંબ મૂક્યો હતો અને આખું વિમાન ભડકે બળી

નાશ પામ્યું. તમે કહેશો આનાથી વધુ આઘાતજનક સમાચાર માબાપ માટે શું હોઈ શકે?——-

             હજુ તો આ આઘાતજનક સમાચારની કળ વળે ત્યાં ચંપાબએનનો ફોન આવ્યો. માંદગીમાં

રિબાતા નયનબેનને તેના છોકરા વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા. હવે નયનબેન પર દયા લાવો

યમરાજા! નટવરભાઈ કેટલી બાધી મિલ્કત મૂકીને ગયા હતા. ખોટે રસ્તે વાપરી માની આ હાલત કરી.

                  બસ હવે મારે કાંઈ કહેવું નથી. તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરજો, હું પણ એજ

કતારમાં  ઉભી છું———————–


एक दिन यमदेव ने दे दिया अपना इस्तीफा।

मच गया हाहाकार, बिगड़ गया सब संतुलन,

करने के लिए स्थिति का आकलन,

इन्द्र देव ने देवताओं की आपात सभा बुलाई

 
और फिर यमराज को कॉल लगाई।

‘डायल किया गया नंबर कृपया जाँच लें’
कि आवाज तब सुनाई।

नये-नये ऑफ़र देखकर नम्बर बदलने की
यमराज की इस आदत पर इन्द्रदेव को खुन्दक आई,

पर मामले की नाजुकता को देखकर,
मन की बात उन्होने मन में ही दबाई।
किसी तरह यमराज का नया नंबर मिला,
फिर से फोन लगाया गया तो
‘तुझसे है मेरा नाता पुराना कोई’

का मोबाईल ने कॉलर टयून सुनाया।


सुन-सुन कर ये सब बोर हो गये
ऐसा लगा शायद यमराज जी सो गये।

तहकीकात करने पर पता लगा,
यमदेव पृथ्वीलोक में रोमिंग पे हैं,
शायद इसलिए, नहीं दे रहे हैं
हमारी कॉल पे ध्यान, क्योंकि बिल भरने
में निकल जाती है उनकी भी जान।

अन्त में किसी तरह यमराज
हुये इन्द्र के दरबार में पेश,
इन्द्रदेव ने तब पूछा-यम
क्या है ये इस्तीफे का केस?

यमराज जी तब मुँह खोले
और बोले-

हे इंद्रदेव।
‘मल्टीप्लैक्स’ में जब भी जाता हूँ,
‘भैंसे’ की पार्किंग न होने की वजह से
बिन फिल्म देखे, ही लौट के आता हूँ।

‘बरिस्ता’ और ‘मैकडोन्लड’
वाले तो देखते ही देखते इज्जत उतार
देते हैं और सबके सामने ही
ढ़ाबे में जाकर खाने-की सलाह दे देते हैं।

मौत के अपने काम पर जब
पृथ्वीलोक जाता हूँ
‘भैंसे’ पर मुझे देखकर पृथ्वीवासी
भी हँसते हैं | और कार न होने के ताने कसते हैं।

भैंसे पर बै�¤ े-बै�¤ े झटके बड़े रहे हैं
वायुमार्ग में भी अब ट्रैफिक बढ़ रहे हैं।
रफ्तार की इस दुनिया का मैं भैंसे से
कैसे करूँगा पीछा। आप कुछ समझ रहे हो

या कुछ और दूँ शिक्षा।

और तो और,

देखो रम्भा के पास है ‘टोयटा’
और उर्वशी को है आपने ‘एसेन्ट’ दिया,
फिर मेरे साथ ये अन्याय क्यों किया?


हे इन्द्रदेव।
मेरे इस दु:ख को समझो और
चार पहिए की जगह चार पैरों वाला
दिया है कह कर अब मुझे न
बहलाओ, और जल्दी से
‘मर्सिडीज़’ मुझे दिलाओ।
वरना मेरा इस्तीफा अपने साथ
ही लेकर जाओ। और मौत का ये काम
अब किसी और से करवाओ।

–wrier Unown

Indian_Women_Handmade_Paintings_

ઈતિહાસની કમાલ જુઓ. જવાબ મળે તો જરૂરથી જણાવજો.

 આપણા ભારતનો ઈતિહાસ નથી. આ તો છે અમેરિકાનો——

૧. અબ્રાહમ લિંકન અમેરિકાની કોંગ્રેસમા ૧૮૪૬ માં ચુંટાયા.

    જોહન કેનેડી ૧૯૪૬માં અમેરિકાની  કોંગ્રેસમાં ચુંટાયા.

૨.  લિંકન ૧૮૬૦માં પ્રમુખ બન્યા.

      કેનેડી ૧૯૬૦માં પ્રમુખ બન્યા.

૩.  લિંકન અને કેનેડીએ નાગરિકના હક્ક માટે લડત ઉઠાવી. 

૪.  લિંકન અને કેનેડી શુક્રવારે ગોળીથી વિંધાયા.

૫.  લિંકન અને કેનેડીને ગોળી માથામાં વાગી હતી.

૬.  લિંકનના સેક્રેટરીનું નામ કેનેડી હતું.

      કેનેડીના સેક્રેટરીનું નામ લિંકન હતું.

૭.  બને કતલ કરનાર અમેરિકાના દક્ષિણ દિશાના હતા.

૮.  તેમના ખૂન થયા પછી નવા પ્રેસિડન્ટ જોહન્સન નામે  દક્ષિણના હતા.

૯. એન્ડ્રુ જોહન્સનની  જન્મ તારિખ ૧૮૦૮.

       લિન્ડન જોહન્સનની જન્મ તારિખ ૧૯૦૮.

૧૦.  જોહન વિલ્કસ બુથ જેણે લિંકનને ગોળી મારી તે ૧૮૩૯મા જન્મેલો.

 ૧૧.   લી હાર્વી ઓસવાલ્ડ જેણે કેનેડીને ગોળી મારી તે ૧૯૩૯મા જન્મેલો.

૧૨.   બંનેના નામમા ૧૫ અક્ષર છે. અંગ્રેજીમા.

૧૩.   બંને જણ ૩ નામથી ઓળખાય છે.

         જોહન વીલ્કસ બુથ

            હાર્વી લી ઓસવાલ્ડ.

૧૪.   લિંકનનું ખૂન ‘કેનેડી’  નામના થિએટરમાં થયું હતું.

         કેનેડીનું ખૂન ફોર્ડની ‘લિંકન’ ગાડીમા થયું હતું.

૧૫.   લિંકનનો ખૂની થિએટરમાંથી ભાગી ગોદામમા છૂપાયો હતો.

         કેનેડીનો ખૂની ગોદામમાંથી થિએટરમાં ભરાયો હતો.

૧૬.   બુથ અને ઓસવાલ્ડ કોર્ટમા કેસ ચાલે તે પહેલા તેમના ખૂન

          થયા હતા.

૧૭.   લિંકન ખૂનના અઠવાડિયા પહેલાં ‘મનરો ‘ શહેર જે મેરીલેન્ડમા છે

          ત્યાં હતા.

           કેનેડી અઠવાડિયા પહેલાં ‘મારલિન મનરો’ની સાથે હતા.

              શું ઇતિહાસ પાસે આનો જવાબ છે?————-

    મુંબઈ તારી માયા તારી બદલે નિત્ય કાયા

         તારા લાંબા પડછાયા સહુ તેમા ભરમાયા

     મૂંબઈ નગરી અલગારી છે.  જ્યાં નોકરોની દાદાગીરી છે. શેઠાણી પાસે તેમની

ચાવી છે.  મીઠા ચાર શબ્દની પ્યાસી છે.

મુંબઈના ચર્ચગેટ પર ચર્ચ નથી. રેલ્વે સ્ટેશન છે.

મરીનડ્રાઈવ પર કોઈ મરીન નથી.   સુંદર દરિયા કિનારો છે.

લાલબાગ લાલ નથી, ને ફણસવાડીમા ફણસ વેચાતા નથી.

નવીવાડી જૂની છે, લોઅરપરેલ લેવલમા છે.

નળ બજારમાં નળ મળતા નથી મિરચી ગલીમા મિરચી નથી.

અંજીરવાડીમા અંજીર નથી ને તીન બત્તી પર બત્તી નથી.

કોલસા ગલીમા કોલસા મળતા નથી ને લોખંડવાલામાં લોખંડ વેચાતું નથી.

હેંગીગ ગાર્ડન લટકતું નથી ને વિક્ટોરિયા લડંનમા છે.

પ્રિન્સેસ સ્ટ્રીટ પર કોઈ પ્રિન્સેસ નથી. કાંદાવાડીમા કાંદા મળતા નથી.

કીંગસર્કલ પર કોઈ કીંગ નથી ને ઠાકોરદ્વાર પર કોઈ ઠાકોર નથી.

ધોબી તળાવ પર નથી ધોબી કે તળાવ.

મહાલક્ષ્મી હાજીઅલી પર છે. દાદરમાં દાદર નથી.

અંધેરીમા અજવાળું છે.ગોરેગામ ગોરુ નથી.

વાંદરામા વાંદરા નથી ને ઘાટકોપર પર ઘાટ નથી.

હા, ખાઉધરા ગલીમા ખાઉધરા લોકો જાય છે

અંતે ચોરબઝારમાં ચોરીનો માલ જ મળે છે.

Next Page »